લાગણીઓ ના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે?
કહ્યા વિના એ સમજે સધળું એવા સગપણ ક્યાં છે?
હવે તો
રીસવામાં પણ વિચાર કરવો પડે. કારણ કે જો
કોઈ મનાવે નહિ તો Anxity અને frustration માં વધારો થાય . સંબંધની ઇજ્જત રાખવી હોય તો બહુ અજમાવા નહિ It is better to bend then to break, અને જો Relations ને કસોટી ને એરણ પર ચડાવવા જ હોય તો સ્વાર્થ અને
બેવફાઈ ની આંટી ઘુટી ને ઉકેલવાની તૈયારી રાખવી. હા આ જગત વિશ્વાસ પર જ ટકેલું
છે. With Condition Apply. સંબધ સાચવવા માટે ગમ ખાઈ જવાની પણ એક અલગ જ
લિજ્જત છે પરતું એનો અતિરેક મન ના વિષાદનું કારણ બને છે. માટે જ ક્યારેક ગુસ્સે થવું વ્યાજબી છે અને હા જો સંબધો 24 કેરેટ હશે તો એ નાનકડી હલચલ જીવન માં મધુરતા લાવશે. રીસાવું અને મનાવવું એ રમત
તો જ આનંદદાયી નીવડે જો તેમાં રીસનાર અને
મનાવનાર પાત્ર બદલતા રહે...... – વિરલ
એમ. પારેખ